“કાળગોજારો અકસ્માત – એક ચેતવણી” બે-ત્રણ દિવસ પૂર્વે અમદાવાદના એસ.જી. હાઈવે ઉપર થયેલા કાળગોજારા અકસ્માતે તમામ ગુજરાતીઓની ઊંઘ હરામ કરી દીધી. “ધરમ કરતા ધાડ” પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું – અમદાવાદમાં. ગાડી અને ટ્રક વચ્ચે રાત્રે ૧૨.૦૦ વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં અચાનક જ મદદ માટે મસ મોટું ટોળું રોડ ઉપર પહોચે છે, જેમને ખબર નહોતીકે મદદ કરવા આવેલા આપણે રહેવાના નથી અને પરિવાર નિરાધાર થઇ જશે. મદદે પહોચેલાઓ પૈકી અમુક તો માત્ર અકસ્માત જોવા જ આવ્યા હોય તેમ પણ બને. તે બધા ઉપર અચાનક જ “મોટા ઘરની ખોટી ઓલાદ” એ ૧૪૦ કિમી પ્રતિ કલાક ની ઝડપે ગાડી ચડાવી દીધી અને કુલ નવ યુવાનો જે ખરેખર આશાસ્પદ નવયુવાનો હતા તેમના અકાળે અવસાન થયા. નવ – નવ લાશોથી ચીખ પોકારતો એ રોડ કેટલો બિહામણો બન્યો હશે , લોહીથી ખરડાયેલો પુલ કેટલો ભયાવહ બન્યો હશે , આ બધું નજરે જોયા પછી જે ત્યાં હાજર હશે તેમની અત્યારે મનોદશા કેટલી ગંભીર હશે તેની કલ્પના માત્ર ધ્રુજારી છોડાવી દે છે. કાયદાએ કાયદાનું કામ શરુ કર્યું , સરકારે સહાય ની જાહેરાતો કરી , ગૃહપ્રધાન સાહેબ ન્યાય અપાવવા બાબતે અતિ આક્રમક અને કડક થયા , સર્વે સમાજના લોક...
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.