Skip to main content

Posts

Showing posts from 2023

"રાષ્ટ્રીય મિત્રતા દિવસ - 2023"

  " રાષ્ટ્રીય મિત્રતા દિવસ "      ખરી મિત્રતાને સમય , સ્થળ , તારીખ કે પરિસ્થિતિ સાથે કાઈ લેવા દેવા હોતા નથી .      સમય , સ્થળ તારીખ કે પરિસ્થિતિ કાંઇપણ હોય , વાત જ્યારે મિત્રતાની આવે ત્યારે એને નિભાવવાની જ ભાવના હોય તે જ ખરી ભાઈબંધી !      અમેરિકામાં ઇસ . ૧૯૧૯ માં પ્રથમ વખત રવિવાર ને મિત્રતા દિવસ તરીકે ઉજવવા નો પ્રસ્તાવ રખાયો અને ઇસ . ૧૯૩૫ માં અમેરિકાએ જાહેર કર્યું કે વિશ્વભર માં ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારને મિત્રતા દિવસ તરીકે ઉજવીએ ; ત્યારથી ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર મૈત્રી દિવસ તરીકે ઉજવાય છે .      મૈત્રીએ ભાવાત્મક જોડાણ છે જે માનવ સમુદાયને એક બીજા માટે લાગણીશીલ , માનવતાવાદી અને નિષ્ઠાવાન અને વફાદાર બનવાની પ્રેરણા પૂરી પાડે છે . આ ભાવાત્મક જોડાણ અંતે માનવ - માનવ વચ્ચે ઈશ્વર નિર્મિત દિવ્ય અને પવિત્ર લગાવ ઊભો કરે છે .      " મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે " આવી દિવ્ય ...

“કાળગોજારો અકસ્માત – એક ચેતવણી”

  “કાળગોજારો અકસ્માત – એક ચેતવણી” બે-ત્રણ દિવસ પૂર્વે અમદાવાદના એસ.જી. હાઈવે ઉપર થયેલા કાળગોજારા અકસ્માતે તમામ ગુજરાતીઓની ઊંઘ હરામ કરી દીધી. “ધરમ કરતા ધાડ” પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું – અમદાવાદમાં. ગાડી અને ટ્રક વચ્ચે રાત્રે ૧૨.૦૦ વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં અચાનક જ મદદ માટે મસ મોટું ટોળું રોડ ઉપર પહોચે છે, જેમને ખબર નહોતીકે મદદ કરવા આવેલા આપણે રહેવાના નથી અને પરિવાર નિરાધાર થઇ જશે. મદદે પહોચેલાઓ પૈકી અમુક તો માત્ર અકસ્માત જોવા જ આવ્યા હોય તેમ પણ બને. તે બધા ઉપર અચાનક જ “મોટા ઘરની ખોટી ઓલાદ” એ ૧૪૦ કિમી પ્રતિ કલાક ની ઝડપે ગાડી ચડાવી દીધી અને કુલ નવ યુવાનો જે ખરેખર આશાસ્પદ નવયુવાનો હતા તેમના અકાળે અવસાન થયા. નવ – નવ લાશોથી ચીખ પોકારતો એ રોડ કેટલો બિહામણો બન્યો હશે , લોહીથી ખરડાયેલો પુલ કેટલો ભયાવહ બન્યો હશે , આ બધું નજરે જોયા પછી જે ત્યાં હાજર હશે તેમની અત્યારે મનોદશા કેટલી ગંભીર હશે તેની કલ્પના માત્ર ધ્રુજારી છોડાવી દે છે. કાયદાએ કાયદાનું કામ શરુ કર્યું , સરકારે સહાય ની જાહેરાતો કરી , ગૃહપ્રધાન સાહેબ ન્યાય અપાવવા બાબતે અતિ આક્રમક અને કડક થયા , સર્વે સમાજના લોક...

"આદિપુરુષ" સમાજ સામે ઉગામેલું વૈચારિક હથિયાર

"આદિપુરુષ"   સમાજ સામે ઉગામેલું વૈચારિક હથિયાર   આજના સમયમાં સમાજની પડતી નું કારણ વૈચારિક નબળાઈ છે. જેમ ચાલવા – દોડવા – કાર્યવંત રહેવા માટે શારીરિક ક્ષમતાની જરૂર પડે છે તેમ જીવનપદ્ધતિમાં પવિત્રતા અને હકારાત્મકતા જાળવી રાખવા માટે વૈચારિક ક્ષમતા અતિ અનિવાર્ય બની રહે છે. જે જીવનપદ્ધતિ માત્ર દેખાવ પુરતી કાર્યરત હોય અથવા તો તેના અનુસરણ કે અનુકરણ થી કાઈ ઉપજતું ન હોય તે નિષ્ક્રિયતા કરતા પણ વધારે નુકશાનકારક સાબિત થાય છે. “પવનના વેગ કરતા પવનનો આવેગ” હમેશા વધુ વિનાશ નોતરે છે , આ જ બાબત જીવનપદ્ધતિને લાગુ પડે છે. જીવનપદ્ધતિની વૈચારિક મજબૂતાઈ ખતમ થઇ છે તે સત્ય છે ? જો “હા” તો તેની પાછળ કોણ નિમિત બન્યું ??? ભારતીય પરંપરા અને વારસાને મૂળ સ્વરૂપથી અલગ બતાવવાની હિમત કોણે કરી ? ?? વૈચારિક મજબૂતાઈ કેવી રીતે પેદા કરવી ??? તેનો મૂળભૂત આધાર શું ??? જીવનપદ્ધતિ ને ક્યારે સક્ષમ, હકારાત્મક અને પવિત્ર છે તેમ કહી શકાય??? આવા અનેક પ્રશ્નો ના જવાબ શેના ઉપર આધારિત છે ??? તે મૂળ વિષય છે. અંગ્રેજો એવું માનતા હતા કે કોઈ પણ સમાજ ને ખત્મ કરી નાખવો હોય તો તેમની શિક્ષણ પદ્ધતિ અને ઈતિહાસ મુલ્યો ને ગમે ...