Skip to main content

Posts

Showing posts from December, 2016

હે મન! તું ક્યારથી ?

હે મન! તું ક્યારથી મગજને સલામ આપતું થઇ ગયું! નહોતા વિચાર્યા એવા નિર્ણયો આપતું થઇ ગયું! હે મન! તું ક્યારથી અપમાન કરતુ થઇ ગયું! જે હતા પોતાના એને પારકા ગણતું થઇ ગયું! હે મન! તું ક્યારથી દલીલ કરતુ થઇ ગયું! જેનાથી ડરતું હતું એને પડકાર આપતું થઇ ગયું! હે મન! તું ક્યારથી નાસ્તિક થઇ ગયું! તારાજ દુશ્મનો ને તું ભગવાન માનતું થઇ ગયું! હે મન! શા માટે તારે એવા નિર્ણયો લેવા પડ્યા! જેનાથી તને તારા જ ધિક્કારતા થઇ ગયા! Author: Uttam Trasadiya Date: 28.12.2016 Email: uttam@uttamtrasadiya.in

નોટ બંધી નો વિરોધ કેટલા અંશે યોગ્ય?

મિત્રો,             અત્યારે જ્યાં પણ જાઉં છું ત્યાં એકજ ભણકારા વાગે છે, એક જ નગારા વાગે છે, એક જ મુદ્દો વાત કરવા યોગ્ય ગણાય છે અને એ છે નોટ બંધી.... નોટબંધી.....નોટબંધી....                      ગરીબઘર ના લોકો માટે, ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ માટે અને સમાજ ના દરેક ઈમાનદાર લોકો ના હિત માં લેવાયેલો આ નિર્ણય ખુબ જ મહત્વ નો છે, પણ સતત ૪૫ માં દિવસે પણ ઘણા નામી-અનામી લોકો દ્વારા આ નિર્ણય નો હળાહળ વિરોધ કેમ કરાય છે?                        અમે આ વાત નું સર્વેક્ષણ કર્યું, સર્વેક્ષણ પછી એ વાત નો ૧૦૦% આનંદ થયો કે મધ્યમ અને ગરીબ વર્ગ નો દરેક ઈમાનદાર માણસ આ નિર્ણયથી ખુશ છે. અમે ૧૦૦ થી વધારે લોકો સાથે આ મુદ્દે વાતચીત કરી જેમાંથી કોઈ એન્જીનીયર હતા, કોઈ ડોક્ટર હતા,કોઈ મજુર હતા તો કોઈ સારી સંસ્થા કે કમ્પની ના માલિક હતા,જયારે કોઈ નાના મોટા વેપારી હતા પણ ૧૧૦% એ બધા ભારત ના એક ઈમાનદાર નાગરિક હતા. એમના એક વ્યક્તિના નિવેદન થી હું ખુબ ખુશ થયો જે નિવેદન હું એ...