Skip to main content

Posts

Showing posts from September, 2018

લાગણીશીલ હોવું જરૂરી કે માનવતાવાદી હોવું જરૂરી ?

લાગણી અને માનવતા આમ તો આ બંને શબ્દો એક બીજા ના પૂરક છે. માનવતા વગર ની લાગણી નકામી છે સાથે જ લાગણી વગર ની માનવતા પણ કશા કામ ની નથી. પ્રેમ નો વિષય હ્ર્દયસ્પર્શી છે. પરંતુ ક્યારેક ક્યારેક સમાજ માં જોવા મળે છે કે અતિ લાગણીશીલ માણસ ખૂબ દુઃખી જીવન જીવતો હોય છે. વ્યક્તિ ની લાગણી ને આ સમાજ ભોળપણ નું સ્વરૂપ આપે છે અને એ જ ભોળપણ વ્યક્તિને મૂર્ખ સાબિત કરે છે. ખરેખર એ વ્યક્તિ નું ભોળપણ ખૂબ નિખાલસ હોય છે. કપટી વ્યક્તિ ક્યારેય ભોળો ન હોય અને જીવન માં ભોળપણ ન હોય તો તમે તમારી લાગણી ક્યારેય વ્યક્ત ન કરી શકો, પરંતુ અતિશય ભોળપણ વિનાશ સર્જે છે. અતિ વિશ્વાસ સારો પરંતુ અંધ વિશ્વાસ ન સારો. સાથે એમ પણ કહી શકાય કે અંધ ને "વિશ્વાસ" ન હોય તો બીજું શું હોય. અંધ વિશ્વાસ માં કૌરવો હાર્યા, અંધ વિશ્વાસ માં રાવણ એ ભાઈ ખોયો, વાસ્તવિક જીવન માં અંધ વિશ્વાસ હોવો એ અતિ લાગણી નું જ સ્વરૂપ છે. એટલું પણ અંધ ન થવું કે લાગણી ના મોહ માં ને મોહ માં આપણા જ લોકો આપણી સાથે રમત રમી જાય અને આપણે એને ઓળખી ન શકીએ. એ રમત કદાચ આપણા માટે ભોળપણ હોઇ શકે પરંતુ સામે વાળી વ્યક્તિ ની સાપેક્ષ માં એ ભોળપણ સદાય આપણી મુર્ખામી જ સાબિ...