શિક્ષણ એક એવી વ્યવસ્થા છે જે સંપૂર્ણ સ્વતંત્ર હોવી ખુબ જરૂરી છે, ઘણી બધી વ્યવસ્થાઓ અનુશાષિત હોય શકે છે પરંતુ શિક્ષણ વ્યવસ્થા વૈચારિક રીતે સ્વતંત્ર હોય તો જ ફાયદાકારક નીવડે છે. અવ્યવસ્થિત અને ગુલામ શિક્ષણ વ્યવસ્થા ને લીધે દેશ માં અને સમાજ માં ભય પેદા થાય છે અને એ જ ભય હંમેશા પડતી નું કારણ બને છે. શિક્ષણ વ્યવસ્થા દિવસે ને દિવસે કેમ ગુલામ બનતી જાય છે ? એવા તો શું કારણો છે કે જેના લીધે શિક્ષણ વ્યવસ્થા ની મૂળ વિચારધારા આજ નો સમાજ ભૂલી ગયોછે? એવા ક્યાં પરિબળો છે જેને કારણે વ્યક્તિ શિક્ષિત નોકર બનવા તૈયાર થઇ જાય છે ? આવા બધા જ પ્રકાર ના પ્રશ્નો નો એક જ જવાબ છે શિક્ષણ નો વેપાર । ચાણક્ય ના સમય માં ભારત ની અંદર દેશ વિદેશ થી લોકો ને ભણવા આવવું પડતું હતું જયારે આજ ના સમય માં ભારત ના વિચક્ષણ બુદ્ધિ ના વિદ્યાર્થીઓ એ દેશ માં અભ્યાસ કરવા માટે જતા રહ્યા છે અથવા તો જતું રહેવું પડ્યું છે જે મૂળ ભારતીય સંસ્કારો નું સિંચન કરી રહી છે. આજે પણ ગુજરાત માં ઘણી બધી શાળા કોલેજો એવી છે જે ખરેખર ચાણક્ય અને સ્વામી વિવેકાનંદ ના શિક્ષણ સિદ્ધાંતો ને અમલ માં મૂકી ને બાળકો ને શિક્ષણ ક...
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.