Skip to main content

નોટ બંધી નો વિરોધ કેટલા અંશે યોગ્ય?

મિત્રો,
            અત્યારે જ્યાં પણ જાઉં છું ત્યાં એકજ ભણકારા વાગે છે, એક જ નગારા વાગે છે, એક જ મુદ્દો વાત કરવા યોગ્ય ગણાય છે અને એ છે નોટ બંધી.... નોટબંધી.....નોટબંધી....
        
            ગરીબઘર ના લોકો માટે, ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ માટે અને સમાજ ના દરેક ઈમાનદાર લોકો ના હિત માં લેવાયેલો આ નિર્ણય ખુબ જ મહત્વ નો છે, પણ સતત ૪૫ માં દિવસે પણ ઘણા નામી-અનામી લોકો દ્વારા આ નિર્ણય નો હળાહળ વિરોધ કેમ કરાય છે?
          
            અમે આ વાત નું સર્વેક્ષણ કર્યું, સર્વેક્ષણ પછી એ વાત નો ૧૦૦% આનંદ થયો કે મધ્યમ અને ગરીબ વર્ગ નો દરેક ઈમાનદાર માણસ આ નિર્ણયથી ખુશ છે. અમે ૧૦૦ થી વધારે લોકો સાથે આ મુદ્દે વાતચીત કરી જેમાંથી કોઈ એન્જીનીયર હતા, કોઈ ડોક્ટર હતા,કોઈ મજુર હતા તો કોઈ સારી સંસ્થા કે કમ્પની ના માલિક હતા,જયારે કોઈ નાના મોટા વેપારી હતા પણ ૧૧૦% એ બધા ભારત ના એક ઈમાનદાર નાગરિક હતા. એમના એક વ્યક્તિના નિવેદન થી હું ખુબ ખુશ થયો જે નિવેદન હું એ વ્યક્તિ ના શબ્દો માં નીચે રજુ કરું છુ.
           
            એમને જયારે પૂછવામાં આવ્યુકે નોટબંધી અંગે તમારો શો અભિપ્રાય છે, ત્યારે એમણે જણાવ્યું કે," સાહેબ હું એક સંસ્થાના ચોકીદાર તરીકે નોકરી કરું છું. આ નિર્ણય થી હું ખુબ ખુશ છું કારણકે અમારી સંસ્થા આમારો પગાર ક્યારેય સમયસર આપતી નહોતી જે આ નિર્ણય આવતા ૩-૩ મહિના એડવાન્સ પેમેન્ટ અને પગાર આપતી થઇ ગઈ.એ વાત નો આનંદ થયો કે જે લોકો નાની નોટ ને પૂજતા નહોતા, નાના લોકો ને માં આપતા નહોતા એ સામેથી અત્યારે આવી ને પગે લાગી ને વિનંતી કરે છે કે અમારા પૈસા સાચવશો? પણ જયારે ગુજરાત નો સિહ દેશ બચાવવા માટે ગર્જના કરતો હોય ત્યારે એક ભારતીય નાગરિક તરીકે અમારી એટલી ફરજ છે કે અમારે એ ગર્જના નો પડઘો બનવું પડે જ....આ ખુબ જ સારો નિર્ણય છે જેનાથી અત્યાર ના યુવાન ને ફાયદો થવાનો જ છે, સરકાર આવા નિર્ણયો લેતી રહે એ માટે હું અપેક્ષા રાખું છું."

             તો હવે પ્રશ્ન એ છે કે આ નોટબંધી નો વિરોધ કોણ કરી રહ્યું છે? હું?, તમે?, આ દેશ નો ઈમાનદાર નાગરિક?, તો એનો જવાબ છે  "ના". આ વાત નો વિરોધ થઇ રહ્યો છે ઘણી બધી રાજકીય પાર્ટીઓદ્વારા, ઘણા પૈસાદાર વર્ગ દ્વારા જેઓ ને પૈસા બદલવાની તક નથી મળી, ઘણી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા જે સમાજસેવા ના નામે કરોડો રૂપિયા ની સંપતિ બનાવામાં લાગેલી છે, જે ભગવાન ને નહિ પણ પૈસા ને પ્રાધાન્ય આપે છે. તો હું ભારત ના દરેક ઈમાનદાર નાગરિક ને પૂછવા માંગું છું કે "નોટબંધી નો વિરોધ કેટલા અંશે યોગ્ય છે?"

               શું નોટબાંધી થી કોઈ એ જીવવાનું છોડી દીધું?, શું નોટબંધી થી કોઈ ભૂખ્યું સુઈ ગયું?, શું નોટબંધી થી કોઈ નું ભણવાનું છૂટી ગયું?, શું નોટબંધીથી કોઈ દવા વિહોણું રહ્યું?, શું નોટબંધી થી કોઈ ના લગ્ન કે સંસાર અટક્યા?, શું નોટબંધીથી કોઈ ઘરવિહોણું બન્યું? અને કદાચ આવું થયું તો મેં કે તમે શું કર્યું?, આ નોટબંધી વિરુદ્ધ બંગણા ફૂકવા સિવાય કોઈ ની મદદ કરવાનું વિચાર્યું? જો કશું જ કર્યું નથી તો વિરોધ કરવાનો આધિકાર કોણે આપ્યો તમને? આ દેશ નો ઈમાનદાર નાગરિક તમારી પાસે જવાબ માંગે છે....

Author:

Uttam Trasadiya

Date: 22.12.2016

Email: uttam@uttamtrasadiya.in

Popular posts from this blog

રિવ્યુ - "લાલો" શ્રી કૃષ્ણ સદા સહાયતે!

  ગુજરાતી ફિલ્મ  “ લાલો ”  માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે. આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી — રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો, દિલથી સારો, પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ. ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની, અને ખુશી નામની ફૂલ જેવી દીકરી. પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે. દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ… અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ. કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે. મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે, અંતે સમજણ    વધુ ગુમાવે    છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે. આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે. તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા. આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ    પૂરી    થાય...

રિવ્યૂ - ધુરંધર ; “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

  “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું” વાહ !!!!  એક એવો ડાયલોગ જે આખી ફિલ્મનો સારાંશ છે . ફિલ્મ જોતા જ દિલની અંદર ઊંડે સુધી અસર કરે એવો આ ડાયલોગ છે. નાગરિકોની વિશ્વસનીયતા અને જીવની સુરક્ષા જાળવવા માટે કંધાર હાઈજેકના આતંકવાદીઓને છોડવા પડ્યા એ ભારતની મજબૂરી હતી પરંતુ ત્યારબાદ ઘરમાં ઘૂસીને બદલો લેવાની ભારતની હિંમત અને ક્ષમતા એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે. ફિલ્મ જોતા જ ભારતીય સુરક્ષા એજન્સીના વફાદાર એજન્ટ્સ માટે માન આપોઆપ બે ગણું થઈ જશે. વિદેશી ધરતી પર અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જાસૂસો કેવી રીતે પોતાની પકડ મજબૂત રાખે છે અને દેશની સુરક્ષા માટે સતત સંઘર્ષ કરે છે તે દ્રશ્યો અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પોતાની આંખો સામે પોતાની જ ટીમના સાથી પર શારીરિક અત્યાચાર થતો હોવા છતાં પથ્થર દિલ બની, મક્કમ મનોબળ અને બદલો લેવાની ક્ષમતા જાળવી રાખવી "આ કોઈ કાયરનું કામ નથી." પ્રથમ નજરે આ દ્રશ્યો માનવતા મરી પરવારી હોય એવો આભાસ કરાવશે પરંતુ પરિસ્થિતિ અને કારણનું ઊંડું અવલોકન કરશો તો સમજાશે કે દુશ્મનનો મિત્ર બનીને દુશ્મનને જ ખતમ કરવાની રણનીતિ સામાન્ય વિચારશક્તિ કે ક...

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!  ============================ મોરબી — એક નાનું શહેર, પરંતુ એક વિશાળ ઉદ્યોગનું ધબકતું હૃદય છે. અહીંનું સિરામિક ઉદ્યોગ એશિયાના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન અને લાખો લોકોના રોજગાર સાથે મોરબીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દુનિયાના અનેક ખૂણાઓમાં ગુંજતું આવ્યું છે. પરંતુ આજે આ ગૌરવમય ઉદ્યોગ એક એવા વળાંક પર ઊભો છે જ્યાં તેની સમૃદ્ધિ કરતાં એની નબળાઈ વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉદ્યોગના મૂળમાં ઘૂસી ગયેલું સૌથી મોટું અને ઘાતક પરિબળ છે “પ્રાઈઝ વોર” આ લડાઈ કોઈ ટ્રેડર કે ગ્રાહક સાથે નથી, આ લડાઈ ઉદ્યોગકારો પોતે એકબીજાને સામે ઊભા થઈને લડી રહ્યા છે અને એ જ આ ઉદ્યોગના ધીમે ધીમે થતા પતનનું સૌથી મોટું કારણ છે. આજથી માત્ર બે-ત્રણ વર્ષ પહેલાં ૨x૪ સ્ક્વેર ફૂટ (૬૦૦x૧૨૦૦ mm) સાઇઝની ટાઇલ્સ રૂ. ૨૮ થી ૩૫ સુધીના ભાવે વેચાતી હતી. એ જ સાઇઝની ટાઇલ્સ આજે ફક્ત રૂ. ૧૮ ના તળિયાના ભાવે વેચાઈ રહી છે. જે ટાઇલ્સ ક્યારેક ગુણવત્તાની સ્પર્ધાથી વેચાતી હતી, એ હવે ભાવની લડાઈમાં મૃતઃપાય થઈ રહી  છે. ગુણવત્તા ગૌણ બની ગઈ છે અને સૌથ...