Skip to main content

શિક્ષણનું વ્યાપારીકરણ

શિક્ષણ એક એવી વ્યવસ્થા છે જે સંપૂર્ણ સ્વતંત્ર હોવી ખુબ જરૂરી છે, ઘણી બધી વ્યવસ્થાઓ અનુશાષિત હોય શકે છે પરંતુ શિક્ષણ વ્યવસ્થા વૈચારિક રીતે સ્વતંત્ર હોય તો જ ફાયદાકારક નીવડે છે. અવ્યવસ્થિત અને ગુલામ શિક્ષણ વ્યવસ્થા ને લીધે દેશ માં અને સમાજ માં ભય પેદા થાય છે અને એ જ ભય હંમેશા પડતી નું કારણ બને છે.
શિક્ષણ વ્યવસ્થા દિવસે ને દિવસે કેમ ગુલામ બનતી જાય છે ?

એવા તો શું કારણો છે કે જેના લીધે શિક્ષણ વ્યવસ્થા ની મૂળ વિચારધારા આજ નો સમાજ ભૂલી ગયોછે?

એવા ક્યાં પરિબળો છે જેને કારણે વ્યક્તિ શિક્ષિત નોકર બનવા તૈયાર થઇ જાય છે ?
આવા બધા જ પ્રકાર ના પ્રશ્નો નો એક જ જવાબ છે  શિક્ષણ નો વેપાર
ચાણક્ય ના સમય માં ભારત ની અંદર દેશ વિદેશ થી લોકો ને ભણવા આવવું પડતું હતું જયારે આજ ના સમય માં ભારત ના વિચક્ષણ બુદ્ધિ ના વિદ્યાર્થીઓ એ દેશ માં અભ્યાસ કરવા માટે જતા રહ્યા છે અથવા તો જતું રહેવું પડ્યું છે જે મૂળ ભારતીય સંસ્કારો નું સિંચન કરી રહી છે.  આજે પણ ગુજરાત માં ઘણી બધી શાળા કોલેજો એવી છે જે ખરેખર ચાણક્ય અને સ્વામી વિવેકાનંદ ના શિક્ષણ સિદ્ધાંતો ને અમલ માં મૂકી ને બાળકો ને શિક્ષણ ક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે અને વિવિધ આયામો માં બંદૂક ની ગોળી જેવા તૈયાર કરે છે પણ આજ ની વ્યવસ્થા કાંઈક ને કાંઈક બહાનું બનાવી ને એવી સંસ્થાઓ ને દબાવે છે. આજ ના વિદ્યાર્થીઓ અને વાલીઓ ની જ જવાબદારી છે એવી સંસ્થા ઓ ને સમર્થન આપી જૂની પરંપરા ફરીથી સ્થાપિત કરવાની !
એક સમય માં ફાટેલા કપડાં પહેરવા એ આર્થિક ગુલામી કહેવાતી જયારે આધુનિક અને મોર્ડન જમાના ના નામે આજ ના જુવાનિયા ફાટેલા કપડાં ને ફેશન સમજે છે।  આવું કોણ સમજાવે છે એ બાળકો ને ? આજ નું કહેવાતું આધુનિક શિક્ષણ કારણકે માં બાપ ના સંસ્કારો ઉપર આક્ષેપ કરવો એ જ આપણી નબળાઈ છે।  આવી નગ્ન આધુનિકતા માં બાપ ના સંસ્કાર માંથી નહીં પરંતુ આજ ના આધુનિક શિક્ષણ માંથી આવે છે.  મને એક વાતનો  છે કે મારા
બાલ્યકાળ અને તરુણ કાળ માં એવી શાળા ના વિદ્યાર્થી હોવાનું ગૌરવ મળ્યું જ્યાં બરમુડા પહેરવા, છોકરીઓ ને ખુલ્લા વાળ રાખવા અને ફન્કી લાઈફ સ્ટાઇલ પર પ્રતિબંધ હતો અને આજે પણ છે જ ! અને આ જ છે સાચા સંસ્કાર જ્યાં વેપાર નહીં પણ વ્યવહાર નું પ્રાધાન્ય હોય.

માં બાપ નો ખરેખર આ વ્યવસ્થા માં કોઈ દોષ ન કહેવાય, માં બાપ તો માત્ર નિમિત્ત હોય છે પોતાના સંતાનો ના ભવિષ્ય માટે, ભવિષ્ય બનાવવું કે નહીં એ તો સંતાન ના હાથ ની જ વાત છે ને !

શિક્ષણ નું વ્યાપારીકરણ આંધળા અનુકરણ તરફ દોરે છે એટલે જ કહી શકાય કે શિક્ષણનું વ્યાપારીકરણ
ખરેખર કોઈ કામ નું નથી. શિક્ષણ ના વ્યાપારીકરણ ના લીધે આજ ના વિદ્યાર્થીઓ આંધળા અનુકરણ તરફ ખેંચાઈ રહ્યા છે અને પશ્ચિમી સંસ્કૃતિ ના વારસદાર બનવાનું ગૌરવ લઈ રહ્યા છે. આ આંધળી દોટ  ના લીધે
શૈક્ષણિક સંસ્થા ઓ શિક્ષણ ને કમાણી નું સાધન બનાવી રહી છે અને વિદ્યાર્થી ઓ શિક્ષણ ને માત્ર પોતાના ભવિષ્ય ની જરૂરિયાત સમજી રહ્યા છે. જયારે આજનો યુવાન શિક્ષણ ને માત્ર જરૂરિયાત નહીં પરંતુ શિક્ષણ એક જવાબદારી છે એવું સમજી લેશે ત્યારથી આ બધા જ ગોરખ ધંધા બંધ થઇ જશે. શિક્ષણ ના વ્યાપારીકરણ
થી દેશ માં માત્ર નોકરો પેદા થઇ રહ્યા છે, આધુનિકતા ખરાબ નથી પણ આધુનિકતા આવવા થી માણસ શોર્ટકટ શોધતો થઇ ગયો છે અને એ જ શોર્ટકટ ના લીધે બધી સમસ્યા ઓ પેદા થઇ છે.

એક વાસ્તવિકતા એવી પણ છે કે આપણને આપણા જ સાંસ્કૃતિક વારસા નું ગૌરવ દિવસે દિવસે ઓછું થતું જાય છે અને બીજી ખોટી વિચારધારાઓ આપણને વિકાર તરફ લઇ જઈ રહી છે. આજનું શિક્ષણ જો સંસ્કૃતિ ને સન્માન આપનારું બનશે તો દેશ નું સન્માન પણ જાળવી
શકીશું અને ભારત ના સાચા વારસદાર હોવાનું ગૌરવ પણ મેળવી શકીશું

Author:

Uttam Trasadiya

Date: 30.10.2018

Email: uttam@uttamtrasadiya.in

Popular posts from this blog

રિવ્યુ - "લાલો" શ્રી કૃષ્ણ સદા સહાયતે!

  ગુજરાતી ફિલ્મ  “ લાલો ”  માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે. આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી — રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો, દિલથી સારો, પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ. ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની, અને ખુશી નામની ફૂલ જેવી દીકરી. પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે. દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ… અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ. કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે. મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે, અંતે સમજણ    વધુ ગુમાવે    છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે. આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે. તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા. આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ    પૂરી    થાય...

રિવ્યૂ - ધુરંધર ; “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

  “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું” વાહ !!!!  એક એવો ડાયલોગ જે આખી ફિલ્મનો સારાંશ છે . ફિલ્મ જોતા જ દિલની અંદર ઊંડે સુધી અસર કરે એવો આ ડાયલોગ છે. નાગરિકોની વિશ્વસનીયતા અને જીવની સુરક્ષા જાળવવા માટે કંધાર હાઈજેકના આતંકવાદીઓને છોડવા પડ્યા એ ભારતની મજબૂરી હતી પરંતુ ત્યારબાદ ઘરમાં ઘૂસીને બદલો લેવાની ભારતની હિંમત અને ક્ષમતા એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે. ફિલ્મ જોતા જ ભારતીય સુરક્ષા એજન્સીના વફાદાર એજન્ટ્સ માટે માન આપોઆપ બે ગણું થઈ જશે. વિદેશી ધરતી પર અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જાસૂસો કેવી રીતે પોતાની પકડ મજબૂત રાખે છે અને દેશની સુરક્ષા માટે સતત સંઘર્ષ કરે છે તે દ્રશ્યો અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પોતાની આંખો સામે પોતાની જ ટીમના સાથી પર શારીરિક અત્યાચાર થતો હોવા છતાં પથ્થર દિલ બની, મક્કમ મનોબળ અને બદલો લેવાની ક્ષમતા જાળવી રાખવી "આ કોઈ કાયરનું કામ નથી." પ્રથમ નજરે આ દ્રશ્યો માનવતા મરી પરવારી હોય એવો આભાસ કરાવશે પરંતુ પરિસ્થિતિ અને કારણનું ઊંડું અવલોકન કરશો તો સમજાશે કે દુશ્મનનો મિત્ર બનીને દુશ્મનને જ ખતમ કરવાની રણનીતિ સામાન્ય વિચારશક્તિ કે ક...

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!  ============================ મોરબી — એક નાનું શહેર, પરંતુ એક વિશાળ ઉદ્યોગનું ધબકતું હૃદય છે. અહીંનું સિરામિક ઉદ્યોગ એશિયાના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન અને લાખો લોકોના રોજગાર સાથે મોરબીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દુનિયાના અનેક ખૂણાઓમાં ગુંજતું આવ્યું છે. પરંતુ આજે આ ગૌરવમય ઉદ્યોગ એક એવા વળાંક પર ઊભો છે જ્યાં તેની સમૃદ્ધિ કરતાં એની નબળાઈ વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉદ્યોગના મૂળમાં ઘૂસી ગયેલું સૌથી મોટું અને ઘાતક પરિબળ છે “પ્રાઈઝ વોર” આ લડાઈ કોઈ ટ્રેડર કે ગ્રાહક સાથે નથી, આ લડાઈ ઉદ્યોગકારો પોતે એકબીજાને સામે ઊભા થઈને લડી રહ્યા છે અને એ જ આ ઉદ્યોગના ધીમે ધીમે થતા પતનનું સૌથી મોટું કારણ છે. આજથી માત્ર બે-ત્રણ વર્ષ પહેલાં ૨x૪ સ્ક્વેર ફૂટ (૬૦૦x૧૨૦૦ mm) સાઇઝની ટાઇલ્સ રૂ. ૨૮ થી ૩૫ સુધીના ભાવે વેચાતી હતી. એ જ સાઇઝની ટાઇલ્સ આજે ફક્ત રૂ. ૧૮ ના તળિયાના ભાવે વેચાઈ રહી છે. જે ટાઇલ્સ ક્યારેક ગુણવત્તાની સ્પર્ધાથી વેચાતી હતી, એ હવે ભાવની લડાઈમાં મૃતઃપાય થઈ રહી  છે. ગુણવત્તા ગૌણ બની ગઈ છે અને સૌથ...