Skip to main content

"રાષ્ટ્રીય મિત્રતા દિવસ - 2023"

 

"રાષ્ટ્રીય મિત્રતા દિવસ"


    ખરી મિત્રતાને સમય, સ્થળ, તારીખ કે પરિસ્થિતિ સાથે કાઈ લેવા દેવા હોતા નથી.

    સમય, સ્થળ તારીખ કે પરિસ્થિતિ કાંઇપણ હોય, વાત જ્યારે મિત્રતાની આવે ત્યારે એને નિભાવવાની ભાવના હોય તે ખરી ભાઈબંધી !

    અમેરિકામાં ઇસ. ૧૯૧૯ માં પ્રથમ વખત રવિવાર ને મિત્રતા દિવસ તરીકે ઉજવવા નો પ્રસ્તાવ રખાયો અને ઇસ. ૧૯૩૫ માં અમેરિકાએ જાહેર કર્યું કે વિશ્વભર માં ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારને મિત્રતા દિવસ તરીકે ઉજવીએ; ત્યારથી ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર મૈત્રી દિવસ તરીકે ઉજવાય છે.

    મૈત્રીએ ભાવાત્મક જોડાણ છે જે માનવ સમુદાયને એક બીજા માટે લાગણીશીલ, માનવતાવાદી અને નિષ્ઠાવાન અને વફાદાર બનવાની પ્રેરણા પૂરી પાડે છે. ભાવાત્મક જોડાણ અંતે માનવ - માનવ વચ્ચે ઈશ્વર નિર્મિત દિવ્ય અને પવિત્ર લગાવ ઊભો કરે છે.

    "મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે" આવી દિવ્ય પ્રાર્થનાઓ સંબંધની તાકાતનું ગુણગાન વર્ણવે છે. મૈત્રીભાવ સંબંધોની પવિત્રતાની એટલી ઊંચી પરાકાષ્ઠા છે, જ્યાં માનવ - માનવ માટે સરળતાથી શૂન્ય થઈ માન - અપમાન બધુ ભૂલીને એકબીજા માટે આત્મીય ભાવ, દિવ્યભાવ, વફાદારી ભાવ અને જરૂર પડે તો બલિદાન ભાવનાનું નિર્માણ કરી જાણે છે અને નિભાવી જાણે છે; એટલે વર્ષોના વર્ષો પછી કૃષ્ણ - સુદામા ની મૈત્રી, દુર્યોધન અને કર્ણની મૈત્રી,  પ્રભુ શ્રીરામ - સુગ્રીવની મૈત્રી ના ગુણગાન જગતમાં ગવાય છે.

     દિવસ આપણને સૌને મૈત્રીભાવની પવિત્રતાનો અનુભવ કરાવી એકબીજા માટે ખૂબ આત્મીય જોડાણ આપે તેવા મંગલ ભાવ સાથે રાષ્ટ્રીય મૈત્રી દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

🏻 Uttam Trasadiya 06.08.2023

Popular posts from this blog

રિવ્યુ - "લાલો" શ્રી કૃષ્ણ સદા સહાયતે!

  ગુજરાતી ફિલ્મ  “ લાલો ”  માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે. આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી — રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો, દિલથી સારો, પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ. ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની, અને ખુશી નામની ફૂલ જેવી દીકરી. પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે. દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ… અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ. કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે. મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે, અંતે સમજણ    વધુ ગુમાવે    છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે. આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે. તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા. આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ    પૂરી    થાય...

રિવ્યૂ - ધુરંધર ; “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

  “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું” વાહ !!!!  એક એવો ડાયલોગ જે આખી ફિલ્મનો સારાંશ છે . ફિલ્મ જોતા જ દિલની અંદર ઊંડે સુધી અસર કરે એવો આ ડાયલોગ છે. નાગરિકોની વિશ્વસનીયતા અને જીવની સુરક્ષા જાળવવા માટે કંધાર હાઈજેકના આતંકવાદીઓને છોડવા પડ્યા એ ભારતની મજબૂરી હતી પરંતુ ત્યારબાદ ઘરમાં ઘૂસીને બદલો લેવાની ભારતની હિંમત અને ક્ષમતા એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે. ફિલ્મ જોતા જ ભારતીય સુરક્ષા એજન્સીના વફાદાર એજન્ટ્સ માટે માન આપોઆપ બે ગણું થઈ જશે. વિદેશી ધરતી પર અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જાસૂસો કેવી રીતે પોતાની પકડ મજબૂત રાખે છે અને દેશની સુરક્ષા માટે સતત સંઘર્ષ કરે છે તે દ્રશ્યો અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પોતાની આંખો સામે પોતાની જ ટીમના સાથી પર શારીરિક અત્યાચાર થતો હોવા છતાં પથ્થર દિલ બની, મક્કમ મનોબળ અને બદલો લેવાની ક્ષમતા જાળવી રાખવી "આ કોઈ કાયરનું કામ નથી." પ્રથમ નજરે આ દ્રશ્યો માનવતા મરી પરવારી હોય એવો આભાસ કરાવશે પરંતુ પરિસ્થિતિ અને કારણનું ઊંડું અવલોકન કરશો તો સમજાશે કે દુશ્મનનો મિત્ર બનીને દુશ્મનને જ ખતમ કરવાની રણનીતિ સામાન્ય વિચારશક્તિ કે ક...

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!  ============================ મોરબી — એક નાનું શહેર, પરંતુ એક વિશાળ ઉદ્યોગનું ધબકતું હૃદય છે. અહીંનું સિરામિક ઉદ્યોગ એશિયાના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન અને લાખો લોકોના રોજગાર સાથે મોરબીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દુનિયાના અનેક ખૂણાઓમાં ગુંજતું આવ્યું છે. પરંતુ આજે આ ગૌરવમય ઉદ્યોગ એક એવા વળાંક પર ઊભો છે જ્યાં તેની સમૃદ્ધિ કરતાં એની નબળાઈ વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉદ્યોગના મૂળમાં ઘૂસી ગયેલું સૌથી મોટું અને ઘાતક પરિબળ છે “પ્રાઈઝ વોર” આ લડાઈ કોઈ ટ્રેડર કે ગ્રાહક સાથે નથી, આ લડાઈ ઉદ્યોગકારો પોતે એકબીજાને સામે ઊભા થઈને લડી રહ્યા છે અને એ જ આ ઉદ્યોગના ધીમે ધીમે થતા પતનનું સૌથી મોટું કારણ છે. આજથી માત્ર બે-ત્રણ વર્ષ પહેલાં ૨x૪ સ્ક્વેર ફૂટ (૬૦૦x૧૨૦૦ mm) સાઇઝની ટાઇલ્સ રૂ. ૨૮ થી ૩૫ સુધીના ભાવે વેચાતી હતી. એ જ સાઇઝની ટાઇલ્સ આજે ફક્ત રૂ. ૧૮ ના તળિયાના ભાવે વેચાઈ રહી છે. જે ટાઇલ્સ ક્યારેક ગુણવત્તાની સ્પર્ધાથી વેચાતી હતી, એ હવે ભાવની લડાઈમાં મૃતઃપાય થઈ રહી  છે. ગુણવત્તા ગૌણ બની ગઈ છે અને સૌથ...