Skip to main content

રિવ્યુ - "લાલો" શ્રી કૃષ્ણ સદા સહાયતે!

 


ગુજરાતી ફિલ્મ લાલો માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે.


આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી —

રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો,

દિલથી સારો,

પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ.

ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની,

અને ખુશી નામની ફૂલ જેવી દીકરી.

પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે.


દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ…

અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ.

કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે.

મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે,

અંતે સમજણ  વધુ ગુમાવે  છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે.


આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે

ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે.

તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા.

આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ  પૂરી  થાય, ત્યાંથી ભગવાનની લીલા શરૂ થાય છે.


સમયના તોફાનમાં લાલો, એટલે કે ભગવાન કૃષ્ણ, માનવીના સ્વરૂપમાં શાંતિપૂર્ણ રીતે એક પ્રવાસી ના સ્વરૂપમાં પ્રવેશ કરે છે.

બોલ્યા વગર, ઘમંડ વગર, પ્રચાર વગર, દરેક વસ્તુનો જ્ઞાતા છતાં અજાણ્યો બની ને માત્ર કરુણા સાથે.


જ્યારે લાલજી સંપૂર્ણપણે ખોવાઈ જાય છે

અને ઘર છોડીને ચોરી ના રવાડે ભાગી જાય છે,

ત્યારે પરિવાર ભાંગી પડે છે.

તુલસીને સહારો જોઈએ, 

અને એ સમયે

ભગવાન ખરીદીના નામે

તુલસીને નોકરી અપાવવાની વ્યવસ્થા કરે છે.

એ નોકરી કંઈ મોટી નથી,

પણ જીવન નિર્વાહ  માટે તે પૂરતી છે.


આ દરમિયાન તુલસીના પિતા,

જેઓ દામાદથી વેર ધરાવતા હતા,

છતાં ખુશીની હાલત અને તુલસીના આંસુઓ જોયા બાદ પિતૃત્વના ભાવથી પિઘળી જાય છે.

આ છે કૃષ્ણની લીલા કે જે માણસના મનમાં યોગ્ય ભાવ જગાવે.


લાલજીને શોધવામાં કાયદો, રાજકારણ, સમાજ બધું કામે લાગે છે, પણ તેની પાછળ જે શક્તિ કામ કરે છે તે જ છે ભગવાન કૃષ્ણની અનુકંપા...  


લાલજી પાછો મળે છે, 

થાકેલો, તૂટેલો, અને બધી જ પરિસ્થિતિ થી ભાગી પડેલો ઈશ્વર ના આધારે જીવતા એક નવા જીવન સાથે ... કારણકે ભગવાન કૃષ્ણ માત્ર તેને પરિસ્થતિ માંથી બહાર કાઢે છે એવું નથી પણ ભૂલનો આભાસ પણ કરાવે છે જેથી નવા જીવનમાં સફળ થઈ શકાય... 


અને અંતે, 

જેવું એક કુટુંબ સ્વપ્નમાં પણ ન વિચારે

એવો મિલાપ થાય છે.

ગેરસમજ દૂર થાય છે.

સંકટો ઓગળી જાય છે.

પરિવાર એક બને છે.

ખુશી ફરી હસવા લાગે છે.

લાલજીનું જીવન નવી દિશા પકડે છે.

તુલસીનું હૃદય રાહતથી ધબકે છે.

પિતા પુનઃ બેટીને આશીર્વાદ આપે છે.


આ બધું જોઈને,

દરેક દર્શકના હૃદયમાં એક જ ભાવ ઊગે છે—

“હા… ઈશ્વર છે,,, 

માણસની વચ્ચે,

ઘટનાની વચ્ચે,

અને ભાગ્યની વેળામાં

લીલા કરતા રહે છે.”


લાલો માત્ર પાત્ર નથી.

લાલો એ ભગવાન કૃષ્ણનો સંદેશ છે—

કે માનવી કેટલો પણ તૂટી પડે,

ઈશ્વર આપણો સાથ ક્યારેય નથી છોડતા... 


અને બીજો મહત્વપૂર્ણ સંદેશ એવો આપે છે કે કોઈ વ્યક્તિ પાપી નથી કોઈ વ્યક્તિ પુણ્યાત્મા નથી, બધું પરિસ્થિતિ ને આધીન હોય છે. પરિવર્તનની ઇચ્છા ધરાવતો દરેક વ્યક્તિ વાલિયા લૂંટારા માંથી વાલ્મીકિ થઈ શકે.... 


✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૭.૧૧.૨૦૨૫

Popular posts from this blog

રિવ્યૂ - ધુરંધર ; “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

  “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું” વાહ !!!!  એક એવો ડાયલોગ જે આખી ફિલ્મનો સારાંશ છે . ફિલ્મ જોતા જ દિલની અંદર ઊંડે સુધી અસર કરે એવો આ ડાયલોગ છે. નાગરિકોની વિશ્વસનીયતા અને જીવની સુરક્ષા જાળવવા માટે કંધાર હાઈજેકના આતંકવાદીઓને છોડવા પડ્યા એ ભારતની મજબૂરી હતી પરંતુ ત્યારબાદ ઘરમાં ઘૂસીને બદલો લેવાની ભારતની હિંમત અને ક્ષમતા એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે. ફિલ્મ જોતા જ ભારતીય સુરક્ષા એજન્સીના વફાદાર એજન્ટ્સ માટે માન આપોઆપ બે ગણું થઈ જશે. વિદેશી ધરતી પર અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જાસૂસો કેવી રીતે પોતાની પકડ મજબૂત રાખે છે અને દેશની સુરક્ષા માટે સતત સંઘર્ષ કરે છે તે દ્રશ્યો અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પોતાની આંખો સામે પોતાની જ ટીમના સાથી પર શારીરિક અત્યાચાર થતો હોવા છતાં પથ્થર દિલ બની, મક્કમ મનોબળ અને બદલો લેવાની ક્ષમતા જાળવી રાખવી "આ કોઈ કાયરનું કામ નથી." પ્રથમ નજરે આ દ્રશ્યો માનવતા મરી પરવારી હોય એવો આભાસ કરાવશે પરંતુ પરિસ્થિતિ અને કારણનું ઊંડું અવલોકન કરશો તો સમજાશે કે દુશ્મનનો મિત્ર બનીને દુશ્મનને જ ખતમ કરવાની રણનીતિ સામાન્ય વિચારશક્તિ કે ક...

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!  ============================ મોરબી — એક નાનું શહેર, પરંતુ એક વિશાળ ઉદ્યોગનું ધબકતું હૃદય છે. અહીંનું સિરામિક ઉદ્યોગ એશિયાના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન અને લાખો લોકોના રોજગાર સાથે મોરબીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દુનિયાના અનેક ખૂણાઓમાં ગુંજતું આવ્યું છે. પરંતુ આજે આ ગૌરવમય ઉદ્યોગ એક એવા વળાંક પર ઊભો છે જ્યાં તેની સમૃદ્ધિ કરતાં એની નબળાઈ વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉદ્યોગના મૂળમાં ઘૂસી ગયેલું સૌથી મોટું અને ઘાતક પરિબળ છે “પ્રાઈઝ વોર” આ લડાઈ કોઈ ટ્રેડર કે ગ્રાહક સાથે નથી, આ લડાઈ ઉદ્યોગકારો પોતે એકબીજાને સામે ઊભા થઈને લડી રહ્યા છે અને એ જ આ ઉદ્યોગના ધીમે ધીમે થતા પતનનું સૌથી મોટું કારણ છે. આજથી માત્ર બે-ત્રણ વર્ષ પહેલાં ૨x૪ સ્ક્વેર ફૂટ (૬૦૦x૧૨૦૦ mm) સાઇઝની ટાઇલ્સ રૂ. ૨૮ થી ૩૫ સુધીના ભાવે વેચાતી હતી. એ જ સાઇઝની ટાઇલ્સ આજે ફક્ત રૂ. ૧૮ ના તળિયાના ભાવે વેચાઈ રહી છે. જે ટાઇલ્સ ક્યારેક ગુણવત્તાની સ્પર્ધાથી વેચાતી હતી, એ હવે ભાવની લડાઈમાં મૃતઃપાય થઈ રહી  છે. ગુણવત્તા ગૌણ બની ગઈ છે અને સૌથ...