Skip to main content

ઉપાધિ

ભગવાનને  મનુષ્ય જાત પર જાણે કેટલી ખીજ ચડી હશે, અને આ "ઉપાધિ" નું સર્જન કર્યું.આમ તો "ઉપાધિ" એટલે ભગવાન ને સંભારવા માટે નું ઉત્તમ સાધન. લોકો જાણે આજે ભગવાનને ભૂલીજ ગયા છે એટલે ભગવાને પણ મજબુરી થી કઇક સર્જન કરવાનું વિચાર્યું અને "ઉપાધિ" નું સર્જન કર્યું. જયારે મનુષ્ય ને સુખ જ સુખ મળે છે ત્યારે તે ભગવાન સિવાયની બધીજ વસ્તુ ને પ્રેમ કરવા માંડે છે, એ ભૂલી જાય છે કે જેને મને આ પ્રેમ કરવાને કાબિલ બનાવ્યો એતો ઈશ્વર છે, એના વગર બધું જ નકામું છે. પણ કોણ સમજાવે એણે જે ક્ષણિક પ્રેમ માટે પ્રેમદાતા ને ભૂલી ગયો છે.

"ઉપાધિ"
એક એવી પરિસ્થિતિ જેનો કોઈ ઈલાજ નથી.(અલબત ઈલાજ તો હોય છે પણ દેખાતો નથી.)
એક એવી ઘટના જે ક્ષણિક સુખ ને દુ:ખ માં ફેરવી દે છે.
એક એવો કાળ જેમાં મનુષ્ય ને જાણવા મળે છે કે એના સાચા શુભેચ્છકો કોણ છે.
એક એવો વિકલ્પ જેનો કોઈ વિકલ્પ નથી હોતો.
એક એવો રોગ જે દુનિયા ના કી ડોક્ટર મટાવી શકતા નથી.
એક એવો સમય જેમાં મનુષ્ય ને ખબર પડે છે કે જેને એ પ્રેમ કરતો હતો એ આજે પોતાના પડખે છે કે નહિ.
 "ઉપાધિ" ના સમય માં મનુષ્ય પોતાનું આર્થિક, સામાજિક, માનસિક અને શારીરિક રૂપ ખુબ જ સારી રીતે જાણતો થઇ જાય છે અને સંકલ્પ પણ કરી લે છે કે આજ પછી એવી કોઈ પરિસ્થિતિ સાથે રહેવું નહિ જે ખરેખર આપણા જીવન માં "ઉપાધિ" સર્જી દે. 

"ઉપાધિ" માટે એક ગઝલ લખવાની ઈચ્છા થઇ જે આપણી સમક્ષ મુકું છું.....
મળ્યું એ ' ​_માણવા​_ 'ની પણ મઝા છે,
ના મળ્યું એ ' ​_ચાહવા​_ 'ની પણ મઝા છે !!
એક માં એક ઉમેરો તો બે થાય'-એવુ ​_શિक्षક​_ શિખવાડી ગયા...........પણ,
'બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાઈ'
-એવુ ​_જીંદગી​_ શિખવાડી ગઈ !
કળિયુગની આ દુનિયાદારી છે,, રમત રમતાં માણસ ​_ગમી​_ જાય ને..ગમતાં માણસ જ ​_રમત​_ રમી જાય !
ઘણા લોકો માટે હુ ​"સારો"​ નથી હોતો...પણ,તમે જ કહો-ક્યો એવો દરિયો છે,જે ​"ખારો"​ નથી હોતો..?

મારા મતે "ઉપાધિ" સામે ચાલી ને આવતી હોતી નથી એને લાવવામાં આવે છે. માણસ પોતાની ઈચ્છાઓ, અપેક્ષાઓ, માંગણીઓ, લાગણીઓ અને વિચારો ને હદ થી વધારે પડતી કક્ષાએ લઇ જાય છે અને જયારે એ પૂરું થતું નથી ત્યારે જે સામે ચાલી ને આવે છે એનું નામ જ "ઉપાધિ". આવા સમયે ભગવાન સિવાય કોઈ આપણા પક્ષે ઉભું રહેતું હોતું નથી આ સંસાર નો નિયમ છે. માત્ર ને માત્ર નિયમિત ભગવાન ને સંભારવા, પ્રાર્થના કરવી કે તમે જે આપ્યું છે એમાં હું સુખી છું અને સુખી રહેવા માંગું છું. તમારે જે આપવું છે એ પણ મારી મહેનત નું ફળ જ હશે. હું તમને ખુબ જ પ્રેમ કરું છું અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ગમે તેવી પરિસ્થિતિ માં દુનિયા મારો સાથ છોડશે પણ તમે મારા જ પક્ષે રહેવાના છો એ એક સત્ય છે. આટલું કરવાથી કોઈ ના જીવન માં "ઉપાધિ" આવી હોય એવું મેં મારા જીવન માં જોયું નથી.

Author:

Uttam Trasadiya

Date: 11.10.2016

Email: uttam@uttamtrasadiya.in

Popular posts from this blog

રિવ્યુ - "લાલો" શ્રી કૃષ્ણ સદા સહાયતે!

  ગુજરાતી ફિલ્મ  “ લાલો ”  માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે. આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી — રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો, દિલથી સારો, પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ. ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની, અને ખુશી નામની ફૂલ જેવી દીકરી. પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે. દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ… અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ. કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે. મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે, અંતે સમજણ    વધુ ગુમાવે    છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે. આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે. તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા. આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ    પૂરી    થાય...

રિવ્યૂ - ધુરંધર ; “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

  “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું” વાહ !!!!  એક એવો ડાયલોગ જે આખી ફિલ્મનો સારાંશ છે . ફિલ્મ જોતા જ દિલની અંદર ઊંડે સુધી અસર કરે એવો આ ડાયલોગ છે. નાગરિકોની વિશ્વસનીયતા અને જીવની સુરક્ષા જાળવવા માટે કંધાર હાઈજેકના આતંકવાદીઓને છોડવા પડ્યા એ ભારતની મજબૂરી હતી પરંતુ ત્યારબાદ ઘરમાં ઘૂસીને બદલો લેવાની ભારતની હિંમત અને ક્ષમતા એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે. ફિલ્મ જોતા જ ભારતીય સુરક્ષા એજન્સીના વફાદાર એજન્ટ્સ માટે માન આપોઆપ બે ગણું થઈ જશે. વિદેશી ધરતી પર અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જાસૂસો કેવી રીતે પોતાની પકડ મજબૂત રાખે છે અને દેશની સુરક્ષા માટે સતત સંઘર્ષ કરે છે તે દ્રશ્યો અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પોતાની આંખો સામે પોતાની જ ટીમના સાથી પર શારીરિક અત્યાચાર થતો હોવા છતાં પથ્થર દિલ બની, મક્કમ મનોબળ અને બદલો લેવાની ક્ષમતા જાળવી રાખવી "આ કોઈ કાયરનું કામ નથી." પ્રથમ નજરે આ દ્રશ્યો માનવતા મરી પરવારી હોય એવો આભાસ કરાવશે પરંતુ પરિસ્થિતિ અને કારણનું ઊંડું અવલોકન કરશો તો સમજાશે કે દુશ્મનનો મિત્ર બનીને દુશ્મનને જ ખતમ કરવાની રણનીતિ સામાન્ય વિચારશક્તિ કે ક...

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!  ============================ મોરબી — એક નાનું શહેર, પરંતુ એક વિશાળ ઉદ્યોગનું ધબકતું હૃદય છે. અહીંનું સિરામિક ઉદ્યોગ એશિયાના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન અને લાખો લોકોના રોજગાર સાથે મોરબીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દુનિયાના અનેક ખૂણાઓમાં ગુંજતું આવ્યું છે. પરંતુ આજે આ ગૌરવમય ઉદ્યોગ એક એવા વળાંક પર ઊભો છે જ્યાં તેની સમૃદ્ધિ કરતાં એની નબળાઈ વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉદ્યોગના મૂળમાં ઘૂસી ગયેલું સૌથી મોટું અને ઘાતક પરિબળ છે “પ્રાઈઝ વોર” આ લડાઈ કોઈ ટ્રેડર કે ગ્રાહક સાથે નથી, આ લડાઈ ઉદ્યોગકારો પોતે એકબીજાને સામે ઊભા થઈને લડી રહ્યા છે અને એ જ આ ઉદ્યોગના ધીમે ધીમે થતા પતનનું સૌથી મોટું કારણ છે. આજથી માત્ર બે-ત્રણ વર્ષ પહેલાં ૨x૪ સ્ક્વેર ફૂટ (૬૦૦x૧૨૦૦ mm) સાઇઝની ટાઇલ્સ રૂ. ૨૮ થી ૩૫ સુધીના ભાવે વેચાતી હતી. એ જ સાઇઝની ટાઇલ્સ આજે ફક્ત રૂ. ૧૮ ના તળિયાના ભાવે વેચાઈ રહી છે. જે ટાઇલ્સ ક્યારેક ગુણવત્તાની સ્પર્ધાથી વેચાતી હતી, એ હવે ભાવની લડાઈમાં મૃતઃપાય થઈ રહી  છે. ગુણવત્તા ગૌણ બની ગઈ છે અને સૌથ...