Skip to main content

“બેટી બચાઓ, બેટી પઢાઓ” એ માત્ર સ્લોગન માં લખવા માટે નથી.

ઓમ શાંતિ ડો. પ્રિયંકા રેડ્ડી…
આખા દેશ માટે આ કરુણ ઘટના છે…
“બેટી બચાઓ, બેટી પઢાઓ” એ માત્ર સ્લોગન માં લખવા માટે નથી. 
એક દીકરી જે ડોકટર બનીને માં બાપ ના સપનાઓ પુરા કરવા નોકરી કરવા જતી હોય અને એકલતા નો લાભ લઈને એની સાથે બળાત્કાર જેવા દુષ્કૃત્ય બાદ હત્યા કરવા માં આવે અને આખા દેશ ના પક્ષ – અપક્ષ અને વિપક્ષ ના નેતાઓ ઘટના ના 4..4 દિવસ પછી પણ ચૂપ બેસે ત્યારે ખરેખર લાગે છે કે નપુંસકતા હદ વટાવી રહી છે…
મિત્રો જાગો… ડો. પ્રિયંકા પણ કોઈક ની દીકરી હતી, કોઈક ની બહેન હતી…
આજે એક તેલંગણા ની દીકરી હતી કાલે કોઈ આપણા ગુજરાત નું હશે, ક્યાં સુધી સહન કરશો ???
આજે એક હિન્દી બોલનાર દીકરી હતી કાલે ગુજરાતી બોલનારી બહેન હશે, ક્યાં સુધી સહન કરશો ???
આજે કોઈ બીજા પરિવાર ની દીકરી હતી કાલે કોઇ મારા કે તમારા પરિવાર નું હશે, ક્યાં સુધી સહન કરશો ???
આ અમાનવીય કૃત્ય માં સામેલ તમામ સામે કેસ નહિ સીધી ફાંસી ની સજા થવી જોઈએ એમાં બે મત નથી, પણ મારી વાત હવે શરૂ થાય છે….
જે થવાનું હતું એ થઇ ગયું જેના થી તમામ લાગણીશીલ અને માનવીય વિચારધારા ના લોકોને દુઃખ છે પણ બીજી કોઈ દીકરી સાથે આવી ઘટના ન બને એના માટે સમાજ ના પ્રબુદ્ધ નાગરિકો એ જાગવાની જરૂર છે…
મારી વિચારશક્તિ પ્રમાણે અમુક વાતો અહીંયા લખું છું, સારી અને સાચી લાગે તો કાલ થી જ તમારા પરિવાર માં અમલ એ જ આશા રહેશે.
1. આપણા પરિવાર ની દીકરીઓ (બહેન, પત્ની, માતા, ફોઈ, માસી, મામી કે પછી અન્ય કોઈ પણ હોય) ને જ્યારે કાઈ પણ મુશ્કેલી હોય તો એની વાત ને મજાક માં નહિ પણ ગંભીરતા થી લઈએ અને એને પરિવાર માંથી પૂર્ણ હૂંફ આપવાનો પ્રયત્ન કરીએ.
2. દીકરીઓ ત્યારે જ કોઈ વાત રજૂ નથી કરતી જ્યારે પરિવાર એના ઉપર ધ્યાન નથી આપતો. આપણે સૌ આપણા પરિવાર ની દીકરી ને પોતાના વિચારો રજૂ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપીએ.
3. જો આપણા પરિવાર માં કોઈ વર્કિંગ વુમન હોય તો એ જે માર્ગે થી પસાર થાય છે એ રસ્તા ઉપર આવતા ઘર, મહોલ્લા માં આપણે આપણી અનુકૂળતા મુજબ પારિવારિક સંબંધો નું નિર્માણ કરીએ જેથી તત્કાળ સમયે કામ આવી શકે.
4. સોશિયલ મીડિયા ના માધ્યમ થી આજે દીકરીઓ ને ખૂબ બ્લેકમેલ કરવામાં આવે છે. આપણા પરિવાર માં સોશિયલ મીડિયા નો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની યોગ્ય માર્ગદર્શન બેઠક સમયાંતરે કરીએ.
5. પરિવાર ના બધા જ સભ્યો એક બીજા ના સોશિયલ મીડિયા એકાઉન્ટ માં કનેક્ટેડ રહીએ જેથી મુશ્કેલી ના સમયે જરૂરી માહિતી મેળવી શકાય.
6. આપણા પરિવાર નું કોઈ પણ સભ્ય જ્યાં નોકરી કે ધંધો કરે છે ત્યાંના તેના સહકર્મીઓ, સ્થાનિકો સાથે આપણે પારિવારિક જોડાયેલા રહીએ. આ જોડાય થી મુશ્કેલી ના સમયે હકીકત જાણવામાં મદદ મળશે.
7. ગુજરાત – ભારત માં હજારોની સંખ્યામાં સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ એકેડેમીઓ કામ કરે છે. આ સંસ્થાની સહાય થી દર વર્ષે અથવા દર બે વર્ષે આપણા પરિવાર ના તમામ સદસ્યો માટે સેલ્ફ ડિફેન્સ ટ્રેઇનિંગ નું આયોજન કરીએ.
8. ઘણા બધા યુવાન યુવતીઓ યુવાની ના મદમાં ચારિત્ર્ય અને પરિવાર ને ન શોભે એવા અસભ્ય કામ કરતા હોય છે એનું મૂળ કારણ તેમના મિત્રો છે. મિત્રો કેવા બનાવવા એની કાળજી લેતા ઘરે થી જ શીખવાડીએ.
9. ઘર માં રોજ સવારે અને સાંજે સામુહિક પ્રાર્થનાનું આયોજન કરીએ જેથી માનસિક શક્તિ નું નિર્માણ થશે.
10. ઘરમાં રોજ સાંજે 15 મિનિટ, 30 મિનિટ કે કલાક જેવી અનુકૂળતા એ મુજબ એક બેઠક કરીએ જ્યાં બધા ખુલ્લા દિલ થી પોતાની વાત રાખી શકે જેથી સંગઠન શક્તિ નું નિર્માણ થશે, પરિવાર ના બધા સભ્યો એક બીજા ની નજીક આવશે.
11. અંતિમ છે સંસ્કાર ; જે બાળક હંમેશા માં બાપ, કાકા કાકી, મામા મામી, ફોઈ ફુઆ, અને બીજા વડીલ પરિવારજનોના વર્તન થી જ શીખે છે જેથી આપણું વર્તન હકારાત્મક ચારિત્ર્ય ભર્યું હોય એ ખૂબ જરૂરી છે.
જય હિન્દ, વંદે ભારત માતરમ.

Author:

Uttam Trasadiya

Date: 02.12.2019

Email: uttam@uttamtrasadiya.in

Popular posts from this blog

રિવ્યુ - "લાલો" શ્રી કૃષ્ણ સદા સહાયતે!

  ગુજરાતી ફિલ્મ  “ લાલો ”  માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે. આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી — રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો, દિલથી સારો, પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ. ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની, અને ખુશી નામની ફૂલ જેવી દીકરી. પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે. દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ… અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ. કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે. મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે, અંતે સમજણ    વધુ ગુમાવે    છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે. આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે. તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા. આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ    પૂરી    થાય...

રિવ્યૂ - ધુરંધર ; “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

  “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું” વાહ !!!!  એક એવો ડાયલોગ જે આખી ફિલ્મનો સારાંશ છે . ફિલ્મ જોતા જ દિલની અંદર ઊંડે સુધી અસર કરે એવો આ ડાયલોગ છે. નાગરિકોની વિશ્વસનીયતા અને જીવની સુરક્ષા જાળવવા માટે કંધાર હાઈજેકના આતંકવાદીઓને છોડવા પડ્યા એ ભારતની મજબૂરી હતી પરંતુ ત્યારબાદ ઘરમાં ઘૂસીને બદલો લેવાની ભારતની હિંમત અને ક્ષમતા એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે. ફિલ્મ જોતા જ ભારતીય સુરક્ષા એજન્સીના વફાદાર એજન્ટ્સ માટે માન આપોઆપ બે ગણું થઈ જશે. વિદેશી ધરતી પર અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જાસૂસો કેવી રીતે પોતાની પકડ મજબૂત રાખે છે અને દેશની સુરક્ષા માટે સતત સંઘર્ષ કરે છે તે દ્રશ્યો અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પોતાની આંખો સામે પોતાની જ ટીમના સાથી પર શારીરિક અત્યાચાર થતો હોવા છતાં પથ્થર દિલ બની, મક્કમ મનોબળ અને બદલો લેવાની ક્ષમતા જાળવી રાખવી "આ કોઈ કાયરનું કામ નથી." પ્રથમ નજરે આ દ્રશ્યો માનવતા મરી પરવારી હોય એવો આભાસ કરાવશે પરંતુ પરિસ્થિતિ અને કારણનું ઊંડું અવલોકન કરશો તો સમજાશે કે દુશ્મનનો મિત્ર બનીને દુશ્મનને જ ખતમ કરવાની રણનીતિ સામાન્ય વિચારશક્તિ કે ક...

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!  ============================ મોરબી — એક નાનું શહેર, પરંતુ એક વિશાળ ઉદ્યોગનું ધબકતું હૃદય છે. અહીંનું સિરામિક ઉદ્યોગ એશિયાના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન અને લાખો લોકોના રોજગાર સાથે મોરબીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દુનિયાના અનેક ખૂણાઓમાં ગુંજતું આવ્યું છે. પરંતુ આજે આ ગૌરવમય ઉદ્યોગ એક એવા વળાંક પર ઊભો છે જ્યાં તેની સમૃદ્ધિ કરતાં એની નબળાઈ વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉદ્યોગના મૂળમાં ઘૂસી ગયેલું સૌથી મોટું અને ઘાતક પરિબળ છે “પ્રાઈઝ વોર” આ લડાઈ કોઈ ટ્રેડર કે ગ્રાહક સાથે નથી, આ લડાઈ ઉદ્યોગકારો પોતે એકબીજાને સામે ઊભા થઈને લડી રહ્યા છે અને એ જ આ ઉદ્યોગના ધીમે ધીમે થતા પતનનું સૌથી મોટું કારણ છે. આજથી માત્ર બે-ત્રણ વર્ષ પહેલાં ૨x૪ સ્ક્વેર ફૂટ (૬૦૦x૧૨૦૦ mm) સાઇઝની ટાઇલ્સ રૂ. ૨૮ થી ૩૫ સુધીના ભાવે વેચાતી હતી. એ જ સાઇઝની ટાઇલ્સ આજે ફક્ત રૂ. ૧૮ ના તળિયાના ભાવે વેચાઈ રહી છે. જે ટાઇલ્સ ક્યારેક ગુણવત્તાની સ્પર્ધાથી વેચાતી હતી, એ હવે ભાવની લડાઈમાં મૃતઃપાય થઈ રહી  છે. ગુણવત્તા ગૌણ બની ગઈ છે અને સૌથ...