Friday, 7 February 2020

વ્યક્તિ વિશેષ : શ્રી નવઘણભાઈ મુંધવા

ગુજરાતની આ પવિત્ર ધરા વર્ષોથી દાતારો અને શૂરવીરો માટે ઓળખાય છે. આજે એવા જ એક સામાજિક અગ્રણી, સરળ સૌમ્ય અને નિખાલસ વ્યક્તિ ની વાત આપ સાથે કરવી છે. 
અમદાવાદ ના એસ.પી રિંગરોડ ઉપર સ્થિત નાગલધામ ગ્રુપ અને એના પ્રમુખ મારા આત્મીય સ્નેહીશ્રી નવઘણભાઈ.

નવઘણભાઈ એટલે ભરવાડ સમાજ અને ગુજરાતની આ પવિત્રધરાનું ઘરેણું કહી શકાય એવું વ્યક્તિત્વ છે.
આખા અમદાવાદ માં મોટા ભાગ ના સર્કલ ઉપર તમને જોવા મળશે "માનવતા ની દીવાલ"
આ માનવતા ની દિવાલ ના પ્રણેતા એટલે નવઘણભાઈ. તેમણે વિચાર કર્યો કે સમાજ માં એવા ઘણા વ્યક્તિઓ છે જેમને પૂરતા પહેરવા અને ઓઢવાના કપડાં નથી અને એ લોકો બીજા પાસે હાથ લંબાવતા પણ અચકાય છે તો એના વિકલ્પ સ્વરૂપે ગરીબ વર્ગ ના લોકો માટે અમદાવાદ માં ઠેર ઠેર "માનવતા ની દીવાલ" બનાવી જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાના વધારા ના કપડાં મૂકી જાય અને જરૂર હોય તે સ્વૈચ્છીક આવી ને લઈ જાય... ધન્ય છે દોસ્ત...
15 જાન્યુઆરી ના દિવસે એમની દીકરી ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરી. 
અમદાવાદના નાના ચિલોડા સર્કલ ઉપર "નાગલધામ અન્ન ક્ષેત્ર" શરૂ કર્યું છે જ્યાં માત્ર 5 રૂપિયા ના નજીવા દરે જરૂરિયાત મંદને પેટ ભરી ને દાળ ભાત પીરસવામાં આવે છે. 
માત્ર અન્ન ક્ષેત્ર શરૂ કરી ને ત્યાં થી છૂટી નથી ગયા પણ દિવસ દરમિયાન પોતાની અનુકૂળતા ના સમય માં તે સ્વયં ત્યાં હાજર રહીને ભોજન પીરસે છે જે સમાજ માટે એક આદર્શ ઉદાહરણ છે. 
આ સાથે ભરવાડ સમાજ ના યુવાનો ના વિકાસ માટે અનેક કાર્યો કરતા રહ્યા છે. 
માતાજી એમને ખૂબ સુખી રાખે અને તેમના વરદ હસ્તે સામાજિક કાર્યો માં નિમિત્ત બનતા રહે એ જ અભ્યર્થના સાથે નાગલધામ ગ્રુપ અને નવઘણભાઈ ને ખૂબ ખૂબ શુભકામનાઓ...

Author:

Uttam Trasadiya

Date: 07.02.2020

Email: uttam@uttamtrasadiya.in