Skip to main content

વ્યક્તિ વિશેષ : ડો. નિર્મળદાન ગઢવી

 


આદર્શ શિક્ષક, આદર્શ માર્ગદર્શક અને આદર્શ વ્યક્તિત્વ ડો. નિર્મલદાન ગઢવી


વર્ષ 2014 માં મોરડ ગામ ને એક એવા વ્યક્તિત્વ ની ભેટ મળી જેના લીધે આજે આપ ત્યાં જઈને જોઈ શકો કે ગામ નો નકશો જ કંઈક અલગ છે. 

ગુજરાત ના સાહિત્ય જગત ના ગૌરવ સમાં વ્યક્તિ ડો. નિર્મલદાન મોરડ પ્રાથમિક શાળા ના આચાર્ય તરીકે નિમાયા અને 2014 માં મોરડ માં આવ્યા. 

વર્ષ 2014 નો ઉલ્લેખ ખાસ એટલા માટે કરું છું કારણકે ગામ માં જે કાંઈ પરિવર્તન આવ્યું છે એ માત્ર ને માત્ર 2014 પછી આવ્યું છે જેનું સાક્ષી આખું ગામ છે...આજે પણ...

ગામ માં અસામાજીક તત્વો નો ખુબ ત્રાસ હતો, એ તત્વોની કુટેવો ના લીધે આખું ગામ પીડાતું હતું. વર્ષ 2014 માં ડો. ગઢવીના આચાર્ય બન્યા પછી આજે એ તત્વો વાલિયા લૂંટારા માંથી વાલ્મિકી બન્યા હોય એટલું જોરદાર પરિવર્તન દેખાય છે.

મોરડ ગામ આણંદ જિલ્લાના ખૂબ અંતરિયાળ વિસ્તાર તરીકે ઓળખાય અને ત્યાં રાત્રે જતા પણ બીક લાગે આજે એ ગામ ડો.ગઢવી નું ગામ એમ ઓળખાય છે. 

વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતા વર્ગખંડ નહિ , પૂરતી વ્યવસ્થા નહિ આજે જઈ ને જોશો તો ખબર પડશે ડો.ગઢવીના અથાગ પ્રયત્ન સ્વરૂપે ગામ ને 85 લાખ રૂપિયા ની સરકારી ગ્રાન્ટ માંથી એક નવનિર્મિત બિલ્ડીંગ મળ્યું જેનું ઉદ્ઘાટન આવતા મહિને થશે.

ડો.ગઢવી ના નિર્મળ અને નિખાલસ સ્વભાવ ને લીધે દર મહિને કોઈક ને કોઈક દાતા ત્યાં આવી ને બાળકો ની સેવા કરે છે. હમણાં જ નામ નહિ આપવાની શરતે એક દાતાશ્રી એ 700 વિદ્યાર્થીઓ ને ભારત ની શ્રેષ્ઠ ઓસવાલ કંપની ના સ્વેટર આપ્યા. કોઈક એ પેવર બ્લોક નખાવી આપ્યા તો કોઈક એ સ્ટેશનરી ની વસ્તુઓ ભેટ કરી. કોઈક ત્યાં સરસ કાર્યક્રમો ના આયોજન  કર્યુ. 

મિત્રો ગુજરાત માં 16000 થી વધારે સરકારી શાળાઓ છે પણ બધી સ્કૂલ ના વિદ્યાર્થીઓને આ લાભ મળતો નથી. દાતા ઓ ને પણ ખબર છે કે ડો. ગઢવી ની માટલી માં નાખેલું દૂધ બગડશે નહિ પણ વિદ્યાર્થીઓ ના મુખ સુધી પહોંચશે એટલે બધા ત્યાં સેવા કરવા તતપર હોય છે.

ગુજરાત ની પહેલી એવી સરકારી શાળા હશે જ્યાં કોઈ પણ સરકારી સહાય વગર બાળકો ડિજિટલ કલાસ માં ભણે છે... 

થેક્સ ટુ ડો.ગઢવી...

પોતાની શાળા ને સરકારી સહાય નો પૂરતો લાભ મળે એ માટે લગભગ 50 વખત ગાંધીનગર પોતાના ખર્ચે ગયા છે. 

4...5 વખત તો હું પણ સાથે રહેલો... 

શાળા ના ઉતકર્ષ અને વિકાસ માટે પોતે જે કાઈ ખર્ચ કરે એનું એક પણ બિલ તમને શાળા ની ફાઇલ માં જોવા નહીં મળે જેનો હું સાક્ષી છું. 

પોતે રહ્યા ગુજરાત ના શ્રેષ્ઠ કલાકાર એટલે વિદ્યાર્થીઓ પણ બંદૂક ની ગોળી જેવા જ હોય...

ધોરણ 2 થી લઈ ને 8 સુધી ના કોઈ પણ વિદ્યાર્થીને આંગળી ચીંધી ને ઉભો કરી લેવાની છૂટ, દરેક બાળક માં એટલી દિવ્ય શક્તિઓ આ માણસ એ રોપી છે કે એ બાળક માઇક ઉપર નીડરતા થી પોતાની કૃતિઓ રજૂ કરે કરે ને કરે જ...

ઘણા બધા લોકોને સોશિયલ મીડિયા નો ઉપયોગ જ ખબર નથી. ડો. ગઢવી વોટ્સએપ ના માધ્યમ થી રોજ બાળક ના વાલીના સંપર્ક માં રહે છે અને રોજની હાજરી, દરેક બાળક ની આવડત ના ફોટો વીડિયો એ ગ્રુપ માં શેર થતા રહે જેથી આખા ગામ ને ખબર પડે કે આજે બંદૂક ની કઈ ગોળી ફૂટી... આવા નીડર અને આત્મવિશ્વાસુ બાળકો તૈયાર કરવાનું કામ ડો. ગઢવી કરે છે..

નીડરતા, નિખાલસતા અને આત્મવિશ્વાસ ની સાથે સાથે બાળક માં નૈતિકતા અને પ્રામાણિકતા આવે એ પણ જરૂરી છે.

મિત્રો એટલું ગરીબ ગામ છે જ્યાં જાવ તો રૂપિયા ની કિંમત ખબર પડે.. હમણાં 15 દિવસ પહેલા એક વિદ્યાર્થી ને 8000 રૂપિયા ગામ માંથી મલ્યા તો એણે ડો.ગઢવી ને જમા કરાવી દીધા. 

ત્યારે સાલું થાય પ્રામાણિકતા અને પૈસાદારી માં ખૂબ અંતર છે. આ ઉદાહરણ થી સમજી શકાય કે બાળક માત્ર સ્કૂલ માં જ નહીં ગામ માં જઈ ને પણ પ્રામાણિકતા જાળવી રહ્યું છે.

આવા તો અનેક ઉદાહરણો છે, ક્યારેક ડો.ગઢવી સાહેબ ની સ્કૂલ ની મુલાકાત લેજો... 

ત્યાં આવી ને કાઈ સેવા કરી શકો નહિ તો ચાલશે પણ પ્રામાણિક, આત્મવિશ્વાસુ, નીડર, નિખાલસ, સ્વચ્છ અને રમણીય વિદ્યાર્થીઓ ના દર્શન કરવા જેવા ખરા.... અને વંદન આ ડો. ગઢવી નામના શિલ્પકાર ને જેમણે આ મૂર્તિઓ તૈયાર કરી છે... વંદન આખા શિક્ષક સ્ટાફ ને જેમના સહયોગ થી ડો.ગઢવી સાહેબ નું કામ પણ સરળ રહે છે.


Author: Uttam Trasadiya 

Date: 17.12.2019 Posted on: 17.12.2021

Email: uttam@uttamtrasadiya.in


Popular posts from this blog

રિવ્યુ - "લાલો" શ્રી કૃષ્ણ સદા સહાયતે!

  ગુજરાતી ફિલ્મ  “ લાલો ”  માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે. આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી — રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો, દિલથી સારો, પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ. ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની, અને ખુશી નામની ફૂલ જેવી દીકરી. પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે. દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ… અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ. કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે. મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે, અંતે સમજણ    વધુ ગુમાવે    છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે. આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે. તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા. આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ    પૂરી    થાય...

રિવ્યૂ - ધુરંધર ; “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

  “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું” વાહ !!!!  એક એવો ડાયલોગ જે આખી ફિલ્મનો સારાંશ છે . ફિલ્મ જોતા જ દિલની અંદર ઊંડે સુધી અસર કરે એવો આ ડાયલોગ છે. નાગરિકોની વિશ્વસનીયતા અને જીવની સુરક્ષા જાળવવા માટે કંધાર હાઈજેકના આતંકવાદીઓને છોડવા પડ્યા એ ભારતની મજબૂરી હતી પરંતુ ત્યારબાદ ઘરમાં ઘૂસીને બદલો લેવાની ભારતની હિંમત અને ક્ષમતા એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે. ફિલ્મ જોતા જ ભારતીય સુરક્ષા એજન્સીના વફાદાર એજન્ટ્સ માટે માન આપોઆપ બે ગણું થઈ જશે. વિદેશી ધરતી પર અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જાસૂસો કેવી રીતે પોતાની પકડ મજબૂત રાખે છે અને દેશની સુરક્ષા માટે સતત સંઘર્ષ કરે છે તે દ્રશ્યો અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પોતાની આંખો સામે પોતાની જ ટીમના સાથી પર શારીરિક અત્યાચાર થતો હોવા છતાં પથ્થર દિલ બની, મક્કમ મનોબળ અને બદલો લેવાની ક્ષમતા જાળવી રાખવી "આ કોઈ કાયરનું કામ નથી." પ્રથમ નજરે આ દ્રશ્યો માનવતા મરી પરવારી હોય એવો આભાસ કરાવશે પરંતુ પરિસ્થિતિ અને કારણનું ઊંડું અવલોકન કરશો તો સમજાશે કે દુશ્મનનો મિત્ર બનીને દુશ્મનને જ ખતમ કરવાની રણનીતિ સામાન્ય વિચારશક્તિ કે ક...

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!  ============================ મોરબી — એક નાનું શહેર, પરંતુ એક વિશાળ ઉદ્યોગનું ધબકતું હૃદય છે. અહીંનું સિરામિક ઉદ્યોગ એશિયાના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન અને લાખો લોકોના રોજગાર સાથે મોરબીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દુનિયાના અનેક ખૂણાઓમાં ગુંજતું આવ્યું છે. પરંતુ આજે આ ગૌરવમય ઉદ્યોગ એક એવા વળાંક પર ઊભો છે જ્યાં તેની સમૃદ્ધિ કરતાં એની નબળાઈ વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉદ્યોગના મૂળમાં ઘૂસી ગયેલું સૌથી મોટું અને ઘાતક પરિબળ છે “પ્રાઈઝ વોર” આ લડાઈ કોઈ ટ્રેડર કે ગ્રાહક સાથે નથી, આ લડાઈ ઉદ્યોગકારો પોતે એકબીજાને સામે ઊભા થઈને લડી રહ્યા છે અને એ જ આ ઉદ્યોગના ધીમે ધીમે થતા પતનનું સૌથી મોટું કારણ છે. આજથી માત્ર બે-ત્રણ વર્ષ પહેલાં ૨x૪ સ્ક્વેર ફૂટ (૬૦૦x૧૨૦૦ mm) સાઇઝની ટાઇલ્સ રૂ. ૨૮ થી ૩૫ સુધીના ભાવે વેચાતી હતી. એ જ સાઇઝની ટાઇલ્સ આજે ફક્ત રૂ. ૧૮ ના તળિયાના ભાવે વેચાઈ રહી છે. જે ટાઇલ્સ ક્યારેક ગુણવત્તાની સ્પર્ધાથી વેચાતી હતી, એ હવે ભાવની લડાઈમાં મૃતઃપાય થઈ રહી  છે. ગુણવત્તા ગૌણ બની ગઈ છે અને સૌથ...