ઘટના વિસ્તરણના કવિત્વથી વિચારોના વાવેતર સુધીની ખેતી એટલે ઓશો...
મૌનની મસ્તીમાં ઘણું કહી જતું પ્રવચન એટલે ઓશો...
સાંભળનાર સામે નહીં પરંતુ સમજનાર સામે અપાયેલું ભાષણ એટલે ઓશો...
દેખાવે ધીર - ગંભીર પણ વિચારો થી રંગબેરંગીન આભા એટલે ઓશો...
ધ્યાન અને પ્રેમની વાસ્તવિક પ્રતિભા એટલે ઓશો...
ગુરુભાવ અને સ્વામિભાવ થી પર સ્વીકારભાવ અને સમજણભાવ એટલે ઓશો...
શિષ્યોમાં મૂલ્યોનું સિંચન એટલે ઓશો...
વિચાર, વાણી અને વર્તનની એકરૂપતા એટલે ઓશો...
આ લોકની અર્થપૂર્ણ સફર એટલે ઓશો...
કોઈ વ્યક્તિ નહીં પણ મહામૂલું વ્યક્તિત્વ એટલે ઓશો...
ઓશો ને વૈચારિક ક્રાંતિ તરીકે જોઈએ, સમજીએ અને અનુભવીએ તો માલુમ પડે કે મન કર્મ અને વચન ઉપર લગામ ધરાવતો કોઈ પણ માણસ પોતાના જીવનને સાર્થક કરવા માટે સમર્થ છે...
- Uttam Trasadiya (19.01.2022)